નો-માસ્ક નો-એન્ટ્રી, નો-માસ્ક નો-સેલ નો-માસ્ક નો-ટ્રાવેલનો નિયમ ફરજિયાત
દુકાન,સંસ્થા ચાલુ રાખનારા તમામે નિયમનું પાલન કરવું પડશે,નિયમભંગ બદલ હવે દંડ ની કામગીરી વધુ આક્રમક બનાવશે.
લોકડાઉન 04 માં છૂટછાટ તો આપવામાં આવી છે પણ....
સુરત, તા. 19 મે, 2020,મંગળવાર
મ્યુનિ. કમિશ્નર બન્છાનિધિ પાનીએ જણાવ્યુ ંહતું કે, કોરોના સામેની લડતમાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝર તથા હેન્ડ વોશીંગ ફરજ્યાત છે. આગામી દિવોસમાં દુકાનો કે સંસ્થામાં નો માસ્ક નો એન્ટ્રી, નો માસ્ક નો સેલ અને નો માસ્ક નો ટ્રાવેલનો નિયમ બધાએ અપનાવવો પડશે. માસ્ક વિનાના લોકોને એન્ટ્રી અને વેચાણ કરવામા આવશે તેવા લોકો સામે પગલાં ભરાશે. નિયમભંગ બદલ દંડની રકમ વધારા વસુલાત આક્રમક બનાવાશે.
છુટ દરમિયાન જે ઉદ્યોગો- ઓફિસ શરૃ થશે તેમાં કામ કરતાં તમામ કામદારો- કર્મચારીઓના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ્લીકેશન ડાઉન લોડ કરાવવી પડશે. એપ્લીકેશન ડાઉનલો ન કરી હોય તેને ફરજ પર રાખી શકાશે નહી.
ઉપરાંત દરેક સંસ્થામાં ડીસ ઈન્ફેક્શનની જાગૃત્તિ માટે કામગીરી અને ટ્રેનીંગ આપવી પડશે. દરેક સંસ્થામાં કામ કરતાં કર્મચારીઓ માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેની કામગીરી પણ સંસ્થાએ કરવાની રહે છે.
0 comments:
Post a Comment