લોકડાઉનમાં છુટછાટ મળતાં કેરીની આવકમાં થયો વધારો, જાણો શું બોક્સનો ભાવ...📢
વર્ષમાં એક જ વખત ખાવા મળતી અને ફળોનો રાજા ગણાતી કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનને કારણે કેરીની આવક પર અસર પડી હતી પરંતુ 3 મે પછી લોકડાઉનમાં મળેલી છુટછાટને લઈને કેરીની આવકમાં ઉછાળો જોવા મળ્યો હતો.
જૂનાગઢ સબયાર્ડમાં કેરીના ત્રણ હજાર બોક્સની આાવક થઈ હતી અને ત્રણસો થી સાતસો રૂપીયા પ્રતિ બોક્સ જેવો ભાવ રહ્યો હતો. લોકડાઉનમાં મળેલી છુટછાટને લઈને કેરીની આવકમાં વધારો થયો છે અને હજુ પણ આવતાં દિવસોમાં આવક વધશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. જો કે બગીચામાંથી કેરી ઉતારવા માટે મજુરો નહીં મળવાને કારણે બગીચાનો ઈજારો રાખનાર વેપારીઓને હજુ મુશ્કેલી વેઠવી પડે છે જેને લઈને તેમને થોડી નુકશાની પણ ભોગવવી પડે છે.
0 comments:
Post a Comment