લોકડાઉનમાં છુટછાટ મળતાં કેરીની આવકમાં થયો વધારો, જાણો શું બોક્સનો ભાવ

લોકડાઉનમાં છુટછાટ મળતાં કેરીની આવકમાં થયો વધારો, જાણો શું બોક્સનો ભાવ...📢


જૂનાગઢ: જૂનાગઢમાં લોકડાઉનમાં છુટછાટની અસર જોવા મળી રહી છે અને યાર્ડમાં કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે યાર્ડમાં ત્રણ હજાર બોક્સની આવક થઈ હતી અને ત્રણસોથી સાતસો રૂપીયા જેવો પ્રતિ બોક્સનો ભાવ રહ્યો હતો. યાર્ડમાં કેસર કેરીની સાથે હાફુસ કેરીની પણ આવક જોવા મળી રહી છે. જો કે મજુરો નહીં મળવાને કારણે બગીચા થી યાર્ડ સુધી કેરી પહોંચાડવામાં ઈજારેદારોને મુશ્કેલી પડી રહી છે.

વર્ષમાં એક જ વખત ખાવા મળતી અને ફળોનો રાજા ગણાતી કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનને કારણે કેરીની આવક પર અસર પડી હતી પરંતુ 3 મે પછી લોકડાઉનમાં મળેલી છુટછાટને લઈને કેરીની આવકમાં ઉછાળો જોવા મળ્યો હતો.

જૂનાગઢ સબયાર્ડમાં કેરીના ત્રણ હજાર બોક્સની આાવક થઈ હતી અને ત્રણસો થી સાતસો રૂપીયા પ્રતિ બોક્સ જેવો ભાવ રહ્યો હતો. લોકડાઉનમાં મળેલી છુટછાટને લઈને કેરીની આવકમાં વધારો થયો છે અને હજુ પણ આવતાં દિવસોમાં આવક વધશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. જો કે બગીચામાંથી કેરી ઉતારવા માટે મજુરો નહીં મળવાને કારણે બગીચાનો ઈજારો રાખનાર વેપારીઓને હજુ મુશ્કેલી વેઠવી પડે છે જેને લઈને તેમને થોડી નુકશાની પણ ભોગવવી પડે છે.


SHARE

Milan Tomic

Hi. I’m Designer of Blog Magic. I’m CEO/Founder of ThemeXpose. I’m Creative Art Director, Web Designer, UI/UX Designer, Interaction Designer, Industrial Designer, Web Developer, Business Enthusiast, StartUp Enthusiast, Speaker, Writer and Photographer. Inspired to make things looks better.

  • Image
  • Image
  • Image
  • Image
  • Image
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment